Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ
સરદાર પટેલ વિદ્યુતભવન, રેસકોર્સ, વડોદરા-૩૯૦૦૦૯
ફોન નં. ૦૨૬૫-૨૩૧૦૫૮૨-૮૬
CIN U40109GJ2004SGC045195
ઘરવપરાશના વીજગ્રાહકો માટેની "સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના
(સૂર્ય-ગુજરાત)" વર્ષ ૨૦૧૯-૨૦ હેઠળ અરજી નોંધણી કરવાની
સમય મર્યાદામાં વધારો
સરકારશ્રી દ્વારા ઘરવપરાશના વીજગ્રાહકો સૌર ઉર્જા દ્વારા ઘરે જ વીજ ઉત્પાદન કરે, જરૂર પૂરતી વીજળી વાપરી, વધારાની વીજળી વેચી, વીજ બીલમાં રાહત તેમજ વધારાની આવક મેળવે તેવા શુભ આશયથી, તા. ૫ ઓગષ્ટ, ૨૦૧૯ થી સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (સૂર્ય-ગુજરાત) અમલમાં મૂકવામાં આવેલ છે. સદર યોજનામાં ઘરવપરાશના વીજગ્રાહકોનો બહોળો પ્રતિસાદ મળેલ છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે આ યોજનામાં અરજી નોંધણી કરવાની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી.
આ સમય મર્યાદામાં વધારો કરી અરજી કરવાની છેલ્લી તારીખ હવે ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી છે. આમ, જે અરજદારની અરજી જરૂરી દસ્તાવેજ સાથે સૂર્ય-ગુજરાત પોર્ટલ ઉપર તા. ૧૫.૦૩.૨૦૨૦ સુધીમાં નોંધાયેલ હશે તેવા અરજદારો જ વર્ષ ૨૦૧૯-૨૦માં સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સબસીડીનો લાભ મેળવવા પાત્ર થશે. અમારા માનવંતા વીજગ્રાહકોએ તેમજ સંલગ્ન ઈમ્પેનલ્ડ થયેલ એજન્સીઓએ ઉપરોક્ત બાબતની નોંધ લેવા વિનંતી.
તા. ૨૯.૦૨.૨૦૨૦
મુખ્ય ઈજનેર (ટેક)